એક વેશ્યાના શબ્દો હજી મારા કાનમાં ગુંજે છે. તમે પણ સાંભળો : "વેશ્યા નિ:સહાય અને એકાકી પુરુષોની સાથી છે... એની પાસે રોજ સેંકડો મર્દો આવે છે.પણ એ એના ચાહકોના ટોળા વચ્ચે પણ સાવ એકલીઅટૂલી છે. સાવ જ એકલી.. એ રાતના અંધારામાં ચાલનારી પેલી રેલગાડી જેવી છે જે મુસાફરોને પોતપોતાના ઠેકાણે પહોંચાડી દીધા પછી એક લોઢાના છાપરા નીચે સાવ ખાલીખમ ઉભી હોય છે. સાવ ખાલીખમ... ધૂળ ને ધૂમાડાથી રજોટાયેલી... લોકો અમને હલકટ કહે છે. ખબર નહીં કેમ?.... રાતના અંધારામાં જે મર્દ અમારી પાસે આવે છે એ જ મર્દ દિવસના અજવાળામાં ખબર નહીં કેમ અમારી તરફ નફરત-તિરસ્કારભરી નજરે જુએ છે. અમે તો કંઇ છુપાવ્યા વગર, છેડેચોક અમારું શરીર વેચીએ છીએ. મર્દ અમારી પાસે આ શરીર ખરીદવા તો આવે છે પણ એ સોદાને ગોપીત રાખવા માંગે છે એવું કેમ હશે તે નથી સમજાતું..."
સ્ત્રોત : - સહાદત હસન મન્ટોના ""વેશ્યા પરના લેખમાંથી".
પુસ્તક - સહાદત હસન મન્ટોની કેટલીક વાર્તાઓ
પુસ્તક - સહાદત હસન મન્ટોની કેટલીક વાર્તાઓ

No comments:
Post a Comment